Logo
Hero Section Background

(Education is the Second Birth of Life)

ि िि

શિક્ષણ એ જીવનનો બીજો જન્મ છે.

  • શ્રી સુરેશ શેઠ

    સૂત્રધાર તથા પ્રમુખ ટ્રસ્ટી...

    દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી

    Profile
    વંદે પ્રતિબધ્ધતા

    “સ્વનિર્ભર” આ શબ્દ નો જ્યાં પણ અને જ્યારે પણ ઉલ્લેખ થાય છે ત્યારે તેમાં વિવેકપૂર્ણ નિસ્પૃહી સ્વાભિમાનનો ભાવ તથા માનવિય મુલ્યો નો અહેસાસ રહેલો હોયછે. તેમજ તે દ્વારા તેમાં રહેલી કાર્યશૈલીની ઝલક પણ નિરખી આવે છે.

    સ્વનિર્ભર શબ્દ નાં પરિપેક્ષ્યમાં જ ઘણું ઉંડાણ રહેલું છે તેમજ તે અનેક મર્મ ધરાવે છે ....

    અહિંઆ સંદર્ભ આપણી "સ્વનિર્ભર શાળા" માટે નો છે. સામાન્ય રીતે લોકો શાળાને પૈસા બટોરવાનું એટલેકે ઉપાર્જન કરવાં નું સાધન કે માધ્યમ ગણી લેતાં હોય છે. શાળા માટેનું ચીત્ર વિચીત્ર એવું અર્થઘટન કરી લેતાં હોય છે જે સમાજીક ઉત્થાન માટે અવરોધરૂપ બની રહે છે.

  • શ્રીમતી અંજલિ એસ.પરીખ

    માનદ્ મંત્રી

    દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી

    Profile
    વંદે પ્રતિબધ્ધતા “શિક્ષણ એ સમર્પિત શિક્ષકો, પ્રેરિત વિદ્યાર્થીઓ અને ઉચ્ચ અપેક્ષાઓ સાથેના ઉત્સાહી માતાપિતા વચ્ચેની સહિયારી પ્રતિબદ્ધતા છે”

    દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં દરેક બાળકને આવતીકાલના આદર્શ નાગરિક બની શકે તે રીતે યોગ્ય માવજત સાથે કેળવણી આપવામાં આવે છે. અમે માનીએ છીએ કે દરેક બાળક તેની પોતાની રીતે વિશેષ, અનન્ય છે અને તે આપણા પર નિર્ભર છે કે તેની વિશેષતા ઓળખીએ અને તેની ક્ષમતાને પૂરી રીતે ખીલવવા શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડીને, તેનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે વિકસે તેવી તકો ઉભી કરીએ.

  • મુખ્ય શિક્ષિકાશ્રી નો સંદેશ (પ્રાથમિક શાળા)

    Profile

    પ્રિય વિદ્યાર્થીઓ, શિક્ષણ એ માત્ર જાણકારી મેળવવાનું સાધન નથી પરંતુ જીવન જીવવાની કળા શીખવતું પવિત્ર યજ્ઞ છે અમારી શાળાએ માત્ર ભણતરનું સ્થળ નહીં પરંતુ ભાવી નાગરિકો તૈયાર કરવાનું કેન્દ્ર છે અહીં હંમેશા શિસ્ત સ્વચ્છતા કલા - કૌશલ્ય અને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવામાં આવે છે.

    અમે બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબંધ છીએ શૈક્ષણિક કૌશલ્ય નૈતિક મૂલ્યો સાહિત્ય કલા રમતગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમનું સર્વાંગી વિકાસ કરીએ છીએ તથા ભવિષ્યના જીવન માટે તૈયાર કરીએ છીએ. તમે માતા પિતાને વિનંતી કે તમારા બાળકના શિક્ષણમાં સહભાગી બનો કારણકે બાળકોનું પ્રાથમિક શિક્ષણ પરનો અનુભવ તેમના

  • કાર્યકારી પ્રધાન શિક્ષકશ્રી નો સંદેશ (માધ્યમિક શાળા)

    Profile

    દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજુકેશન સોસાયટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની સ્વનિર્ભર માધ્યમિક શાળાના આચાર્ય તરીકે સેવા આપવી એ મારા માટે સન્માન અને ગર્વની વાત છે. જ્યાં શિક્ષણ પાઠ્યપુસ્તકોથી આગળ વધીને વિદ્યાર્થીઓને સ્વપ્ન જોવા અને તેને સિદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે. આમારું ધ્યેય શૈક્ષણિક વાતાવરણ કેળવવાનું છે કે જે તેમના ઘડતરમાં મદદરૂપ થાય, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે અને ચરિતત્ર્યના વિકાસને પ્રોત્સાહન આપે.

    અમે માનીએ છીએ કે દરેક વિદ્યાર્થીમાં અનન્ય પ્રતિભા અને શક્તિઓ હોય છે જે વિશ્વમાં પરિવર્તન લાવવાની ક્ષમતા પણ ધરાવે છે. શિક્ષકોની આમારી સમર્પિત ટીમ દરેક વિદ્યાર્થીને તેમના વિકાસની સફરમાં માર્ગદર્શન આપવા

સ્વનિર્ભર શાળાનો ઈતિહાસ

school-imageschool-image

વિદ્યાર્થી માટે જન્મ આપનાર માતા પછી બીજી કોઈ માતા હોય તો તે છે માતૃભાષા. દાહોદ અનાજ મહાજન એજ્યુકેશન સોસાયટી એ માતૃભાષા ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તે હેતુથી ઈ.સ. 2005 માં મર્યાદિત સંખ્યા અને વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન રહે તેવાં હેતુથી સ્વનિર્ભર માધ્યમિક શાળાનો પ્રારંભ કર્યો. માધ્યમિક શાળાની સફળતા બાદ સમાજની માંગ ને ધ્યાનમાં રાખીને વર્ષ 2010 માં સ્વનિર્ભર શાળામાં જ પ્રાથમિક વિભાગની શરૂઆત કરવામાં આવી. આ માટે સર્વ સુવિધા યુક્ત અધ્યતન ભવન નું નિર્માણ કરવામાં આવ્યું. આ ભવનમાં નાના નાના ભૂલકાઓ ને યોગ્ય વાતાવરણ મળી રહે તે બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સ્વનિર્ભર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ શાળાની શરૂઆતથી જ ધોરણ-10 ની બોર્ડની જાહેર પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી શાળા, સંસ્થા તેમજ તેમના પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે અને સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ જેમકે રમતગમત, ચિત્રકામ, સંગીત તથા અનેકવિધ ક્ષેત્રે જિલ્લા તથા રાજ્યમાં અગ્રેસર રહી શિક્ષણ સાથે સહ પ્રવૃત્તિ કેવી રીતે કરી શકાય તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

આ જ ક્રમમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ કંઈ પાછળ પડે તેમ નથી, તેઓ પણ વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા તથા રાજ્ય ક્ષેત્રે અગ્રસ્ત રહી શાળાની ઉપલબ્ધિઓમાં નવા નવા સોપાનો ઉમેરી રહ્યા છે. આ દર્શાવે છે કે, ગુણવત્તામય શિક્ષણ, પ્રવૃત્તિમય શિક્ષણ અને જીવનની કારકિર્દીનું યોગ્ય ઘડતર આ ત્રણેય ગુણોની પરિપ્રેક્ષ્યતાને ઉજાગર કરીને આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને વિશેષ રીતે તૈયાર કરતી જિલ્લાની એકમાત્ર શાળા સ્વનિર્ભર શાળા છે. આ શાળામાં વિદ્યાર્થીઓ ટ્યુશન પ્રથાના પ્રદૂષણથી દૂર રહીને સ્વઅધ્યયન દ્વારા પોતાની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે. આજે લગભગ આ સ્વનિર્ભર શાળામાં નર્સરી, બાળમંદિર તથા ધોરણ 1 થી 12 સુધી 1266 વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણનો લાભ મેળવી રહ્યા છે. સંસ્થાના સૂત્રધાર શ્રી સુરેશભાઈ શેઠ, પ્રમુખશ્રી પંકજભાઈ શેઠ અને માનદ્ મંત્રી શ્રીમતી અંજલિબેન પરીખ જેવા ત્રણ અનુભવી મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ શાળા સફળતાના સોપાન પ્રાપ્ત કરી રહી છે.

શાળાના વર્ષ

કુલ વિ.સંખ્યા

હાલ વિ.સંખ્યા

એડમિશન માટેની જરૂરી માહિતી

ફોટો ગેલેરી

Example Image 16
Example Image 17
Example Image 18
Example Image 19
Example Image 20
Example Image 21
Example Image 22
Example Image 23

તાજા સમાચાર

15 February 2025

શાળાની વેબસાઈટનું અનાવરણ

15 ફેબ્રુઆરી,2025 ને શનિવારના રોજ દાહોદ અનાજ મહાજન...

15 February 2025

વાર્ષિકોત્સવ 2024-25 (સોળ સંસ્કાર)

15 ફેબ્રુઆરી 2025 ને શનિવારના રોજ દાહોદ અનાજ...

5 February 2025

વાર્ષિક ઇનામ વિતરણ-2024/25 (ધોરણ-9 થી 12)

5 ફેબ્રુઆરી,2025 બુધવારના રોજ સ્વનિર્ભર શાળાના...

1 January 2025

વાર્ષિક રમતોત્સવ

શાળાનો વાર્ષિક રમતોત્સવ તારીખ ૧-૧-૨૦૨૫ ના રોજ ઉજવવામાં આવ્યો

25 December 2024

ગીતા જયંતિ

ગીતા જયંતિ નિમિતે શાળામાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

26 November 2024

બંધારણ દિવસ

બંધારણ દિવસની ઉજવણી